You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં ફરી કર્યા હવાઈ હુમલા, બંને દેશોએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તેની સેનાઓએ ગુપ્ત જાણકારીના આધારે રવિવાર-સોમવારની રાત દરમિયાન અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન ચલાવ્યું, જેમાં '29 આતંકવાદીઓ માર્યા ગયા'.
પાકિસ્તાનના સૂચના તથા પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરાડે સોશિયલ મીડિયા પર તેને લઈને નિવેદન જાહેર કર્યું.
તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની સેનાએ ડૂરંડ લાઇનની નજીક 'સુનિયોજિત જમીની અભિયાન' ચલાવ્યું. જે બાદ લાઇનની નજીકના વિસ્તારોમાં જમાત-ઉલ-અહરાર અને પાકિસ્તાની તાલિબાન આંદોલન (ટીટીપી)નાં 'આંતકવાદી ઠેકાણાં તથા કૅમ્પો' પર 'ટાર્ગેટેડ હવાઈ હુમલાઓ' કર્યા.
તરાડે કહ્યું, "ખેબર પખ્તૂનખ્વાના બાજૌરમાં જમીની અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં આતંકવાદી કમાન્ડર ખાન ફ્રૉશ (જબાલ) અને જમાત-ઉલ-અહરારના ત્રણ અન્ય આતંકવાદીઓ માર્યા ગયા, આ સિવાય પણ ઘણા ઘાયલ થયા."
બીબીસી પશ્તોની સેવાના જણાવ્યા અનુસાર, અફધાનિસ્તાનની તાબિલાન સરકારના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિતે કહ્યું કે આહુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનો લોકો માર્યાં ગયાં.
તેમણે આ હુમલાની 'નિંદા કરી અને તેને કાયરતાપૂર્ણ' ગમાવ્યા.
બીબીસી પશ્તો સેવાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની સેનાના હવાઈ હુમલા અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતના પૂર્વ ભાગ તથા દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનના પક્તિયા તથા પક્તિયા પ્રાંતના ચામકાની તથા જ્ઞાન જિલ્લામાં કરવામાં આવ્યા હતા.
તેમાં સૌથી વધુ નુકસાનની સૂચના પક્તિયા પ્રાંતના મંડીખેલ ગામથી મળી છે. તાલિબાન સરકારના સુરક્ષા સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે ત્યાં લગભગ 100 લોકો 'શહીદ અને ઘાયલ' થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન