ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લે અને તે કેવી રીતે નક્કી થાય?
ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લે અને તે કેવી રીતે નક્કી થાય?
પ્રકાશિત
ગુજરાતના ખેડૂતો સામાન્ય રીતે એવું માનતા હોય છે કે સામાન્ય રીતે ભાદરવા મહિનામાં (સપ્ટેમ્બર મહિના આસપાસ) ચોમાસું વિદાય લે. આ દરમિયાન 'મોટા ભાગે વરસાદ ન પડે અને જો પડે તો ખૂબ જ પડે.'
એટલું જ નહીં, મોટા ભાગે આ વરસાદ છૂટોછવાયો કે બહુ થોડા અને મર્યાદિત વિસ્તારમાં પડતો હોય છે.
ત્યારે ગુજરાતમાંથી 'ઔપચારિક' અને 'સત્તાવાર' રીતે ચોમાસું ક્યારે વિદાય લે ? હવામાન ખાતું તેની આગાહી કેવી રીતે કરે છે અને તેનો 'રૂટ' કયો હોય છે?
બીબીસી ગુજરાતીએ 'તમારો સવાલ, મારો જવાબ' શ્રેણી શરૂ કરી છે. જેના હેઠળ તમે અમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર કે અલગ-અલગ માધ્યમથી સવાલો પૂછી શકો છો, જેના આધારે અમે તમને જવાબ આપવાનો તથા તમારી શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું.
રજૂઆત : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



