BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ટ્રમ્પે કહ્યું- 'હું ઈરાનનું ઑઇલ કબજામાં લેવા માગું છું', ઈરાન માટે ખાર્ગ ટાપુ કેટલો મહત્ત્વનો છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ "ઈરાનનું ઑઇલ પોતાના કબજામાં લેવા" માગે છે અને ખાર્ગ ટાપુ પર પણ નિયંત્રણ મેળવી શકે છે, આ એ ટાપુ છે, જેના પરથી ઈરાનની મોટા ભાગનું ઑઇલ નિકાસ થાય છે.
'જીભ સૂજી ગઈ, માથાં ફૂલી ગયાં', ભારતમાં દવાના છંટકાવે જ્યારે પરિવારોને તબાહ કરી નાખ્યા
વિકૃત થઈ ગયેલાં અંગો અને સૂજી ગયેલાં માથાં સાથેનાં બાળકોની આ ભયાનક તસવીરો તાજેતરમાં ચાલી રહેલા કોચી-મુઝિરિસ દ્વિવાર્ષિક ઍક્ઝિબિશનમાં દર્શાવવામાં આવી છે. આ તસવીરો 1990 અને 2000ના દાયકામાં કેરળના કાસરગોડ જિલ્લામાં સેંકડો બાળકો પર એક સસ્તા, પરંતુ અતિશય ઝેરી એવા ઍન્ડોસલ્ફાન કીટનાશકની કેવી ભયંકર અસર થઈ હતી એ દર્શાવે છે.
ઈરાનમાં અમે સત્તા પરિવર્તન કરાવી દીધું છે- ટ્રમ્પનો દાવો - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી, કયા કયા જિલ્લામાં માવઠું થશે?
ગુજરાતમાં ગરમીમાં વધઘટ થઈ રહી છે અને કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ પડી શકે છે. દેશના બીજા રાજ્યોમાં પણ બે-ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
એક દિવસમાં એવું શું થયું કે પાંચ-પાંચ દેશો પર ઈરાની હુમલા થયા અને નવા દેશે જ યુદ્ધમાં ઝંપલાવી દીધું
શનિવારે યમનથી ઇઝરાયલી વિસ્તાર તરફ મિસાઇલો છોડવામાં આવી. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ હુમલા શરી થયા બાદ ઈરાને ન માત્ર ઇઝરાયલના, બલકે અમેરિકાના સહયોગી ખાડી દેશો વિરુદ્ધ પણ જવાબી હુમલા કર્યા છે.
વીડિયો, આ ગુજરાતી પાસે છે 250 કરતાં વધુ વિન્ટેજ કાર, મિસાઇલ લૉન્ચર સહિતનો ખજાનો, અવધિ 7,01
સુરતના કામરેજમાં રહેતા ઉદ્યોગપતિ કાંતિભાઈ પટેલે વિશ્વ યુદ્ધ સમયની, ભારતમાં બ્રિટિશ કાળ સમયની અને રાજા મહારાજાઓના સમયની 268 કારનો સંગ્રહ કર્યો છે. કેવું છે આ કલેક્શન એ જુઓ આ વીડિયો.
'પડદા પર નામ આવ્યુ અને હૉલ તાળીઓથી ગુંજી ઊઠ્યો', આદિત્ય ધરની સફળતાથી પ્રૉપેગન્ડાના આરોપ સુધીની કહાણી
આજની કહાની એ સફરની છે જ્યાં ક્રિકેટની પિચ પર બૉલ ભલે સ્પિન ન થયો હોય, પરંતુ સત્યઘટનાઓના 'ફિલ્મી સ્પિન'એ પડદા પર ઇતિહાસ રચી દીધો. વાત થઈ રહી છે આદિત્ય ધરની, જેમની 'ધુરંધર: ધ રિવેન્જ' બૉક્સ ઑફિસ પર નવાં કીર્તિમાન સ્થાપી રહી છે.
'18 કરોડનું ફાર્મહાઉસ, VIPની આવ-જા અને જાતીય શોષણના આરોપો', મંદિર બનાવી લોકોને ઠગનાર બાબાની કહાણી
ખરાત ભક્તો પાસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરાવતો હતો. તે મામૂલી કચૂકાને 'પવિત્ર' ગણાવી 10,000થી 1 લાખ રૂપિયામાં વેચતો હતો. ફરિયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIRમાં કહ્યું હતું કે તે લાખો રૂપિયામાં કાંકરા વેચતો હતો. FIRમાં એમ પણ જણાવ્યું છે કે અશોક ખરાત મીરગાંવના મંદિરમાં નકલી સાપ અને નકલી વાઘ રાખીને લોકોને ડરાવતો હતો.
મહારાજા રણજિતસિંહનો પેશાવર પર વિજય, જેના પછી અફઘાનોના હુમલા બંધ થઈ ગયા
ઓલાફ કારોએ તેમના પુસ્તક 'ધ પઠાન્સ'માં જણાવ્યું છે કે 18મી સદીના મધ્યથી શાસન કરનાર દુર્રાની અફઘાનોએ 1818માં મુલતાન અને પછીના વર્ષે કાશ્મીરની સાથે જ સિંધુ નદીના પૂર્વમાં પોતાનું સમગ્ર નિયંત્રણ ગુમાવી દીધું હતું અને લાહોરથી શાસન કરનાર શીખ શાસક રણજિતસિંહે નદીના અફઘાનિસ્તાનવાળા ભાગ પર મજબૂત પકડ જમાવી લીધી હતી.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શા માટે થઈ રહ્યાં છે વિરોધપ્રદર્શન, જુઓ તસવીરો
અમેરિકામાં ઘણાં શહેરોમાં શનિવારે ટ્રમ્પ પ્રશાસન સામે વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. આ 'નો કિંગ્સ' રેલીનો ત્રીજો તબક્કો છે, આ પહેલાં પણ આ પ્રકારનાં પ્રદર્શનોમાં લાખો લોકો સામેલ થયા હતા.
નમાજ માટે જગ્યા ઓછી પડી તો હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ તેમની જમીન મુસ્લિમોને દાનમાં આપી દીધી
રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારનું ગુહાલા ગામ આજકાલ ચર્ચામાં છે. આ ગામમાં હાલમાં જ એક હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ પોતાની જમીનનો એક ભાગ ઈદગાહ માટે દાન કરી દીધો છે.
'એવો દુકાળ પડ્યો કે 45 પશુ ટપોટપ મરી ગયાં', લોકો જનાવરોનો ખોરાક ખાવા મજબૂર
દુષ્કાળની અસર માત્ર કેન્યા સુધી સીમિત ન રહેતાં તે સમગ્ર પૂર્વ આફ્રિકામાં પ્રસરી છે.
અમેરિકા-ઇઝરાયલે પ્રચંડ હુમલા કર્યા છતાં હજુ ઈરાનમાં સત્તાપલટો કેમ નથી થઈ શક્યો?
યુદ્ધમાં નેતાગીરી અને જાનમાલનું માતબર નુકસાન વેઠ્યા બાદ પણ ઈરાનની સત્તાએ આંતરિક સુરક્ષા પરની તેની પકડ ઢીલી પડવા દીધી નથી. નેતાગીરી સામે જનતામાં વ્યાપક આક્રોશ પ્રવર્તતો હોવા છતાં યુદ્ધ દરમિયાન મોટા પાયે કોઈ દેખાવો થયા નથી.
ભારતનું એ રામમંદિર જેમાં ભગવાનનું નામ અને ગોત્ર બદલાઈ ગયાં
ભદ્રાચલમ્ દેવસ્થાનમ્નું સત્તાવાર નામ શ્રી સીતા રામચંદ્ર સ્વામી દેવસ્થાનમ્ છે. જોકે, મુખ્ય આરોપ છે કે ભગવાન રામનું નામ બદલીને રામચંદ્ર સ્વામીની જગ્યાએ રામનારાયણ સ્વામી કરી દેવાયું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતના મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું નામ આવવું એ શું પીએમ મોદીની 'કૂટનીતિક હાર' છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના સંપર્કમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે પીએમ મોદીને ફોન પણ કર્યો પરંતુ પાકિસ્તાનનું નામ 'પીસ ટૉક'માં આવવાની વાતને કેટલાક વિશેષજ્ઞો ભારત માટે 'ઝાટકા સમાન' માની રહ્યા છે.
ઈરાનમાં પારસીઓ પર આરબોનું આક્રમણ થયું ત્યારે ગુજરાત આવતાં પહેલાં ક્યાં રોકાયા હતા?
તમને ખબર છે કે વર્ષો પહેલાં ઈરાનથી ગુજરાત આવેલા પારસીઓનો ઈરાનના હોર્મુઝ સાથે જૂનો સંબંધ છે? તમે જાણો છો કે ઈરાનથી ગુજરાત આવવા પહેલાં પારસીઓ હોર્મુઝ ખાતે રોકાયા હતા? શું કહે છે હોર્મુઝનો ઇતિહાસ, તે જોઈએ.
'દીકરી હું તારા હત્યારાને માફ કરું છું...' મૃત પુત્રીને માતાનો પત્ર
આ પત્રમાં એક માએ માફ કરવાની ભાવના કઈ રીતે મેળવી એ અંગે અને પોતે કેમ ગુનાના પીડિત અને ગુનેગાર વચ્ચે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપે છે એ અંગે વાત કરી.
8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર એવું શું થયું જેને કારણે ભારતમાં દુકાળ પડ્યો?
પૃથ્વીના એક ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનનો પ્રભાવ તેનાથી હજારો કિલોમીટર દૂર આવેલા અન્ય પ્રદેશના ચોમાસાને બદલી શકે, એ વાત આશ્ચર્યજનક લાગે છે. 8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર આબોહવામાં થયેલાં પરિવર્તનોની અસર ભારતના ચોમાસા પર કેવી રીતે પડી હતી?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ
































































