You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દ્વારકાના 21 ટાપુ પર લોકો નહીં જઈ શકે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસ આવેલા 21 ટાપુ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ તમામ ટાપુઓ નિર્જન છે એટલે કે ત્યાં માનવ વસાહતો નથી.
જોકે, કેટલાક ટાપુઓ પર ધાર્મિકસ્થાનો આવેલાં છે. હવે સ્થાનિક તંત્રએ આ ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશવાની મનાઈ કરી દીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ સરહદે આવેલો છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ધરાવે છે.
આ જિલ્લાની આસપાસ 24 ટાપુઓ છે, જેમાંથી માત્ર 2 જ ટાપુઓ પર માનવ વસવાટ છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાથી શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. પરંતુ તંત્રના કહેવા પ્રમાણે સુરક્ષા એજન્સીઓને આ સ્થળોનો ઉપયોગ દૂરપયોગ થવાની આશંકા છે.
જેથી જન સલામતી અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે આ ટાપુઓ પર જવા માટે પ્રાંત અધિકારી અથવા સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ પ્રતિબંધ 23 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન