ગુજરાત: આદિવાસીઓની એ વાનગી, જે પાંદડાંની વચ્ચે મૂકીને બનાવાય છે
ગુજરાત: આદિવાસીઓની એ વાનગી, જે પાંદડાંની વચ્ચે મૂકીને બનાવાય છે
પ્રકાશિત
પનેલા એ આદિવાસી સમાજની એક ખાસ વાનગી છે.
આદિવાસી સમાજના લોકો કોળામાંથી પનેલા નામની આ વાનગી બનાવે છે. કોળાનાં છીણીમાં નાગલી, ચોખા કે જુવારનો લોટ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણની અંદર જરૂરી મસાલા પણ ઉમેરવામાં આવે છે.
બાદમાં મસાલાયુક્ત આ મિશ્રણને કચનાર નામના વૃક્ષનાં પાનમાં પાથરીને તેને સ્ટીમ કરી દેવાય છે.
શિયાળામાં વધુ ખાવામાં આવતી આ વાનગી તાપી જિલ્લાની કેટલીક હોટલોમાં પીરસવામાં આવે છે.
પનેલાના નામની આ વાનગી કેટલાક વિસ્તારોમાં પાનગા તરીકે પણ ઓળખાય છે. આ વાનગી દૂધી, ગાજર અને કાકડીમાંથી પણ બનાવવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



